-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સુરતની સિવિલ હોસ્પિટલમાં ગંદીકીના થર જોવા મળતા સ્વચ્છતા અભિયાનના કાંકરા ઉડ્યા:ગંદકીના થરથી લોકોના સ્વાસ્થ્યને જોખમ

સુરત:રાજ્ય સરકાર દ્વારા અવાર નવાર સ્વચ્છતા અભિયાન આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ ગંદકીના થર જામી ગયા છે તો કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા પડેલા છે જ્યારે કેમ્પસમાં ડોક્ટર સહિતના કર્મચારી કવાટર્સ પાસે લાંબા સમયથી ઝાડી-ઝાંખરા કાપવામાં આવ્યા ન હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે ગટર ઊભરાતી હોવાથી પાણી વહી રહ્યું છે અને ત્યાં ગંદકીના થર જામી ગયા છે એટલું જ નહિ પણ નજીકમાં કેટલીક ગટર લાઈન અને પાણીની ટાંકીના ઢાંકણું ખુલ્લા છે. જેને લીધે ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો હોવાથી ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દી તથા તેમના સંબંધીઓ અન્ય ડોક્ટર સહિતના કર્મચારીઓ હેરાન પરેશાન થઇ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.