Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

'રાધે'ને ઇદ પર જ રિલીઝ કરવા સલમાનની તૈયારી

સલમાન ખાનની ફિલ્મ ઇંશાલ્લાહ ઇદ પર રિલીઝ થવાની હતી. પરંતુ સંજય લીલા ભણશાલી સાથે મતભેદને કારણે આ ફિલ્મ બંધ થઇ જતાં સલમાને બીજી ફિલ્મ રાધેનું શુટીંગ શરૂ કરી દીધું હતું. હવે આ ફિલ્મ ઇદ પર રિલીઝ થવાની સંભાવના છે. સલમાન ખાન કોઇપણ ઇદને ખાલી જવા દેતો નથી. તેની એક ફિલ્મ ચોક્કસ આ તહેવાર પર તેના ચાહકો માટે હોય છે. રાધેનું નિર્દેશન પ્રભુદેવાને સોંપાયુ છે. આ ફિલ્મનું શુટીંગ સતત ચાલી રહ્યું છે. કોરોનાની અસરમાં અનેક ફિલ્મો, ટીવી સિરીયલોના શુટીંગ અટકાવાયા હતાં. પરંતુ સલમાન ખાનની ફિલ્મનું શુટીંગ ચાલુ રખાયું હતું. આશા છે કે આ ફિલ્મ ઇદ પહેલા પુરી થઇ જશે. ફિલ્મની લંબાઇ માત્ર બે કલાક અને દસ મિનીટ જ રાખવામાં આવી છે. સલમાન ખાનની કારકિર્દીની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાંથી આ ફિલ્મની લંબાઇ સોૈથી ઓછી છે. જો કે ફાઇનલ એડિટીંગ પછી ફિલ્મની લંબાઇ કેટલી રાખવી તે નક્કી થશે. થ્રિલર મુવી હોવાથી તેની ગતિ તેજ અને લંબાઇ ઓછી રખાય તેવી શકયતા છે.

(10:12 am IST)