-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજકોટના કોરોનાગ્રસ્ત યુવક સાથે ટ્રેનમાં મુસાફરી કરનાર મોરબી જિલ્લાના 13 લોકોની આરોગ્ય તપાસ
વાંકાનેરના 4 અને માળિયાના 9 લોકોને સિવિલ હોસ્પિટલમાં રખાયા

મોરબી : કોરોનાએ ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. પ્રથમ બે કેસ રાજકોટ અને સુરતમાં નોંધાયા છે. ત્યારે રાજકોટના કોરોનાગ્રસ્ત દર્દીની સાથે ટ્રેનમાં મુસાફરી કરનાર વાંકાનેરના 4 અને માળિયાના 9 દર્દીઓની ઓળખ થતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. આ તમામમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા ન હોવાનું અનુમાન હાલ જાણવા મળી રહ્યું છે. તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ આ લોકોને કયા રાખવા તે અંગે આરોગ્ય તપાસ પૂર્ણ થયે નિર્ણય લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટના જંગલેશ્વરમાં રહેતા એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક હજ પઢવા મકા મદીના ગયો હતો અને ત્યાં કોરોના વાયરસનો ભોગ બન્યો હતો. આ બનાવને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે તુરંત જ આ યુવકના પરિવારજનો સહિતના 17 લોકોને ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં ખસેડયા હતા. અને યુવક ટ્રેનમાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હતો તેનું સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું હતું.
આ સર્ચ ઓપરેશનમાં આ યુવક ટ્રેનમાં વાંકાનેરના 4 તથા માળિયા 9 મળીને મોરબી જિલ્લાના કુલ 13 લોકોના સંપર્કમાં આવ્યો હોવાનું ખુલતા મોરબી આરોગ્ય વિભાગ તુરંત જ હરકતમાં આવી ગયું હતું. આ તમામ 13 લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. હાલ તેઓના આરોગ્યની પ્રાથમિક તપાસણી થઈ રહી છે. અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશી પણ હોસ્પિટલમાં ખડેપગે રહીને સમગ્ર મામલાનું નિરીક્ષણ કરી રહ્યા છે. જોકે હજુ સુધી આ 13 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.
અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશીના જણાવ્યા મુજબ તમામ 13 લોકોના આરોગ્યની તપાસણી હાલ ચાલી રહી છે. તેઓમાં કોરોનાના કોઈ લક્ષણ જણાઈ રહ્યા ન હોવાનું અનુમાન છે. આરોગ્ય તપાસ પૂર્ણ થયે આ તમામ લોકોને ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવા કે કયા રાખવા તે અંગેનો નિર્ણય