-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
લખતરના મોક્ષધામમાં મૂર્તિ ખંડિત : ત્રિશૂલ અને હાથ તોડીને લઇ ગયા : પાણીની ટાંકીનો વાલ્વ પણ તોડયો !
તોડફોડની ઘટનાથી રોષ : અસામાજીકોને ઝડપી લેવા માંગ : મૂર્તિ આસપાસ દારૂની ખાલી કોથળીઓ પણ મળી

વઢવાણ તા. ૧૯ : લખતર શહેરના પાટડી દરવાજા બહાર આવેલ મોક્ષધામમાં પ્રવેશતા જ પ્રથમ મુર્તી શંકર ભગવાનની રાખવામાં આવી છે અને ત્યારબાદ અન્ય મુર્તીઓ મુકવામાં આવી છે. મોક્ષધામનો દરવાજો બંધ હોય છે તેમ છતાંય અમુક અસામાજીક તત્વો દ્વારા શંકર ભગવાનની મૂર્તી સાથે રંજાડ કરી તેને ખંડીત કરવામાં આવી છે. જેમાં હાથમાં રહેલ ત્રિશુલ તેમજ હાથ તોડીને લઈ ગયેલ છે.
જે અંગેની જાણ મોક્ષધામની દેખરેખ રાખતાં સમાજ સેવકને થતાં આગેવાનો અને વેપારીઓને જાણ કરવામાં આવી હતી આથી વેપારી એસોશીએસન સહિત ગામના આગેવાનોએ લખતર પોલીસ મથકે અરજી કરી હતી જયારે મોક્ષ ધામમાં મુર્તીની આસપાસ ખાલી દેશી દારૂની કોથળીઓ પણ નજરે પડી હતી તેમજ પાણીની ટાંકીનો વાલ્વ પણ તોડી નાંખવામાં આવ્યો છે.
આમ મોક્ષધામમાં મહાદેવજીની મુર્તી ખંડીત તેમજ તોડફોડ કરવામાં આવતાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે ત્યારે પોલીસ દ્વારા આવા અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.