-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજકોટમાં કોરોના પોઝીટીવ જંગલેશ્વરમાં એક સાથે ૪૦ આરોગ્ય ટીમો ઉતારાઇ રહી છેઃ ઘરે ઘરે તાવ-શરદી- ઉધરસનું ચેકીંગ થશેઃ
લગભગ ૨૦૦ આરોગ્ય સ્ટાફ સાધનો સાથે સજજ રખાયો ?

જંગલેશ્વરમાં ઘરે ઘરે આરોગ્ય ચેકીંગ ટુકડીઓએ કામ હાથ ધર્યું છે. લગભગ ૩૭ થી ૪૦ ટૂકડીઓ કામે લાગી છે. શંકાસ્પદ કોરોના વાયરસના કેસના પગલે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર વિજળીક ઝડપે કામે લાગ્યુ છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટઃ અત્યંત આધારભૂત વતૂળો કહે છે કે મકકાથી ઉમરાહ કરી ૧૦ દિ પૂર્વે ફરેલા જંગલેશ્વરના પાત્રીસેક વર્ષના યુવાનને કોરોના પોઝીટીવ આવ્યાનું લગભગ નિશ્ચિત મનાય છે, પરંતુ તેના બ્લડ સેમ્પલને પૂણે ફરી ટેસ્ટીંગ માટે મોકલાયું છે જેનો રીપોર્ટ સાંજે આવશે. ત્યારે કલેકટર શ્રી, કમીશ્નરશ્રી, ડીડીઓ સહિતના અધિકારીઓની બેઠક મળી ગયા બાદ જંગલેશ્વરમાં ઘરે- ઘરે તાવ-શરદી-ઉધરસના છેલ્લા ૧૦-૧૨ દિવસમાં કેસો અંગે તપાસ કરવા ૨૦૦થી વધુ આરોગ્ય કર્મચારી-ડોકટરો સાથેની ટીમો સજજ રખાયાનું અને સાંજ સુધીમાં એકસાથે સમગ્ર જંગલેશ્વરમાં તપાસ કાર્યવાહી શરૂ થશે તેમ જાણવા મળે છે. સમગ્ર રાજકોટમાં ચર્ચાય રહયું છે કે આ યુવાનનો રીપોર્ટ પ્રાથમીક શંકાસ્પદ-પોઝીટીવ આવ્યો છે. તેની સાથે ૧૬ થી ૧૭ વ્યકિત મકકા વિ. સ્થળે ગયેલ. તેમાંથી એક બાળકીના પરિવારની મહિલાને રાત આખી ઉલ્ટીઓ બંધ નહિ થયાની પણ ચર્ચા છે. તમામને પથિક આશ્રમમાં કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. પૂણેથી લેબના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.