-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના સે ડરો ના...તંત્ર પૂરતા પગલા ભરે, લોકો સજાગ રહે : પ્રમુખ અલ્પાબેન
સેનેટાઇઝરનો ઉપયોગ કરો, ભીડમાં જવાનું ટાળો, તાવ હોય તો તુરત ડોકટર પાસે દોડો

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ જિલ્લા કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને યોગ્ય પગલા ભરવા લેખીત અનુરોધ કરેલ છે કોરોના વારસનું જોખમ ઓછું કરવા માટે સાવચેતી રાખવા માટે રાજકોટ જિલ્લાના પ્રજાજનોને અપીલ કરેલ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર આ વાઇરસ માણસો દ્વારા એકબીજામાં ફેલાય છે. આ વાઇરસથી સામાન્ય શરદી અને તાવ હોય તો પણ ગંભીર બિમારી થઇ શકે છે. સદનસીબે ગુજરાતમાં કોરોનાને એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી છતાં પૂર્વ સાવચેતી જરૂરી છે. તેમ જણાવી અલ્પાબેન ખાટરિયાએ નીચે મુજબ સાવચેતી રાખવા અપીલ કરી છે.
કોરોનાથી બચવાના ઉપાયો
- એવો લોકોના સંપર્કમાં ન આવશો કે જેમને આ વાઇરસ છે અથવા તેના લક્ષણો છે.
- આ વાઇરસથી દૂર રહેવા માટે સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- જયારે ઘરેથી બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળવું હિતાવહ છે. તાવ, શરદી, ઉધરસના લક્ષણો જણાય ત્યારે માસ્ક પહેરવાનો ખાસ આગ્રહ રાખવો.
- ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો.
-ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ કે તાવ હોય તો તાત્કાલીક સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
- રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના પ્રવેશદ્વારે આરોગ્ય તપાસણી માટે છાવણી ઉભી કરવામાં આવેલ છે. કચેરીની મુલાકાતે આવતા મુલાકાતીઓએ તેનો અચુક લાભ લેવો.
- વધુ માહિતી માટે કંટ્રોલ રૂમના સંપર્ક નંબર-૯૧-૧૧-ર૩૯૭૮૦૪૬.