Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

લક્ષ્મીનગરના રહેણાંક વિસ્તારમાં ૨૪ કલાક ધમધમતા કારખાનાથી લોકોની ઉંઘ હરામ

મશીનના ઘોંઘાટ અને પ્રદૂષણથી વિસ્તારવાસીઓ ત્રાહીમામ : મ્યુ. કમિશ્નરને ફરિયાદ

રાજકોટ તા. ૧૯ : શહેરના લક્ષ્મીનગરના રહેણાંક વિસ્તારમાં ૨૪ કલાક ગેરકાયદે ધમધમતા કેટલાક કારખાનાથી વિસ્તારવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને આ બાબતે નિયમ મુજબ પગલા લેવા માંગ ઉઠાવી છે.

ઙ્ગઆ અંગે વિસ્તારવાસીઓએ મ્યુ. કમિશ્નરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લક્ષ્મીનગર મેઇન રોડ આસપાસના વિસ્તારમાં દિવસ - રાત મશીનોની ઘરેરાટી અને ટેપ - વિડીયો વગેરે મોટા અવાજથી વગાડવામાં આવે છે જેના કારણે અવાજનું ભયંકર પ્રદૂષણ થઇ રહ્યું છે. રહેવાસીઓની ઉંઘ હરામ થઇ જાય છે.

ઉપરાંત કારખાનાની ભૂકીનું પ્રદૂષણ સ્વાસ્થ્યને નુકસાન કરે છે ત્યારે આ બાબતે જવાબદારો સામે પગલા લેવા અને લતાવાસીઓને આ ત્રાસમાંથી મુકિત અપાવવા માંગ છે.

(3:57 pm IST)