-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રેલ્વે ફાટક-નવી સ્કૂલ-નવા રોડ સહિત ૧૧.૩૧ કરોડના વિકાસ કામોને લીલીઝંડી
સ્ટેન્ડીંગ કમિટીમાં ૪૧ દરખાસ્તોને ફટાફટ મંજુર કરતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ, તા. ૧૯ :. મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ટીંગ કમિટીની મળેલ બેઠકમાં એરપોર્ટ રોડ ફાટક પહોળુ કરવા રેલ્વેને રૂ. ૪૫.૧૫ લાખ ચૂકવવા, નવા ભેળવાયેલ ગામોમાં વિકાસ માટે રૂ. ૧૯.૮૩ કરોડ તથા પેવીંગ બ્લોક, શાળાનું બિલ્ડીંગ સહિત રૂ. ૧૧.૩૧ કરોડના વિકાસ કામોની ૪૧ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.
મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે બપોરે ૧૨ કલાકે કોર્પો.ની કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમિટી મીટીંગ રૂમમાં સ્ટે. કમિટી ચેરમેન ઉદય કાનગડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ ૪૧ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની વિગતો આ મુજબ છે.
એરપોર્ટ રોડનું ફાટક પહોળુ થશે
રાજકોટ શહેરમાં હાલના આમ્રપાલી રેલ્વે લેવલ ક્રોસીંગ નં.૬ પર રેલ્વે અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી પ્રગતી હેઠળ હોય રૈયા રોડની મહદ અંશે વાહન વ્યવહારની અવર જવર એરપોર્ટ રોડ પરથી થાય છે. જેના કારણે એરપોર્ટ રોડ પર આવેલ રેલ્વે લેવલ ક્રોસીંગ નં. ૪ સાંકળો હોય વાહન વ્યવહારની સમસ્યા ઉભી થયેલ છે. જેના નિરાકરણ માટે લેવલ ક્રોસીંગ નં. ૪ પહોળો કરવાની જરૂરીયાત બની ગયેલ છે. હાલમાં એરપોર્ટ લેવલ ક્રોસીંગ પર ફાટકની પહોળાઇ ૯.૪પ મી.ની છે જે ટ્રાફીક સમસ્યાનાં નિરાકરણ માટે ૧પ.૦૦ મી. કરવાની થાય છે.
જે અન્વયે રેલ્વે વિભાગને આ કામ કરવા માટે અત્રેથી સહમતી પાઠવવામાં આવેલ તેમજ આ કામ માટે જરૂરી અંદાજપત્રક રજુ કરવા જણાવવામાં આવેલ હતું. રેલ્વે વિભાગનાં પત્ર મુજબ ઉકત રેલ્વે લેવલ ક્રોસીંગને પહોળો કરવા માટે રૂ. ૪પ,૧પ, ૧૬૧ નું અંદાજીત ખર્ચ થનાર છે. આ કામ જાહેર જનતાને હિતમાં ધ્યાને લેતા ખુબ જ અગત્યનું હોય, અત્રેથી રૂ. ૪પ,૧પ,૧૬૧ રેલ્વે વિભાગને ડીપોઝીટ રકમ તરીકે ભરપાઇ કરવાના થાય છે.
ઉપરોકત સમગ્ર વિગતે આ પ્રોજેકટ સત્વરે પુર્ણ કરવા માટે રૂ. ૪પ,૧પ,૧૬૧ રેલ્વે વિભાગને ડીપોઝીટ તરીકે આપવા માટેની જરૂરી અનુમતી અર્થેની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
શાળાને ૧૬નું બિલ્ડીંગ ૩.૬૯ કરોડના ખર્ચે નવુ બાંધકામ
આ ઉપરાંત વોર્ડ નં. ૭માં આવેલ શિક્ષણ સમીતીની સંત તુલશીદાસ પ્રા. શાળાને ૧૬નું બિલ્ડીંગ જે રામનાથપરા મેઇન રોડ પર છે તેને પકડીને નવુ બનાવવાનો કોન્ટ્રાકટ ૪.૦૯ કરોડનાં એસ્ટીમેંટથી ૯.પ૪ ટકા ઓછા એટલે કે ૩.૬૯ કરોડના ખર્ચે સારંગ કન્સ્ટ્રકશનને અપાશે.
નવા ભેળવાયેલ ગામોમાં વિકાસ માટે ૧૯.૮૩ કરોડ ખર્ચાશે
જયારે શહેરી વિકાસ સતામંડળ (રૂડા) તરફથી ઘંટેશ્વર મોટામવા તથા મુંજકા વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા તથા શહેરી વિકાસ યોજનાના કામો અનુક્રમે ભુગર્ભ ગટર વ્યવસ્થા માટે રૂ. ૧૩.૯૪ કરોડ, રસ્તાના કામો માટે રૂ. પ.૮૯ કરોડ મળી કુલ રૂ. ૧૯.૮૩ કરોડ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડાન)ે ફાળવવા દરખાસ્ત કરેલ છે. રાજકોટ મહાનગર પાલીકા દ્વારા જનરલ બોડૃ ઠરાવ નં. ૪૪ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, (મનહરપુર-૧ ગામનો વિસ્તાર) કુલ મળીને ૪ ગામોને રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં સમાવેશ કરવા ઠરાવ થયેલ છે. જે ગામો રાજકોટ મહાનગર પાલીકામાં ભેળવવા સરકારરીમાં દરખાસ્ત પત્ર નં.રા.મ્યુ.કો. /ટી.પી./જા.નં. રર૦૪ તા.૧૯ ડીસે. ર૦૧૯થી કરેલ છે.
આમ ઉપરોકત ગામો ટુંક સમયમાં સરકારશ્રી તરફથી જાહેરનામા બહાર પડયેથી રાજકોટ મહાનગર પાલીકામાં ભળનાર હોય તમામ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો સત્વરે હાથ ધરી શકાય તે હેતુસર રાજકોટ શહેરી વિકાસ સતામંડળની દરખાસ્ત મુજબ રૂ. ૧૯.૮૩ કરોડ આઉટગ્રોથ ડેવલપમેન્ટ તરીકે રાજકોટ મહાનગર પાલીકાને ફાળવવા રાજય સરકારશ્રીને દરખાસ્ત રજુ થશે.
આ ઉપરાંત વોર્ડ નં. ૪માં ૨.૬૨ કરોડના ખર્ચે ટીપી રોડ પેવર કરવા, વોર્ડ નં. ૩મા પોપટપરા મેઈન રોડ વિસ્તારમાં ૧૩.૫૧ લાખના ખર્ચે પેવીંગ બ્લોક નાખવા, વોર્ડ નં. ૩માં ટીપી ૨૩માં પ્લોટ નં. ૧૨ તથા ૧૨ એમા તથા સિવીલ હોસ્પીટલમાં ગ્રાઉન્ડમાં રૂ. ૫૮.૭૭ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતની દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી હતી.