-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
હવે મેયર તમારે દ્વારઃ પ્રત્યેક વોર્ડમાં સતત ત્રણ દિ'નો મુકામ
વોર્ડનાં નાગરીકોનાં સફાઇ, પાણી, લાઇટ, દબાણો, ભુગર્ભ ગટર, ગેરકાયદે બાંધકામો, મકાન વેરો-પાણી વેરો, ગંદકી, ભુગર્ભ ગટર સહિત તમામ પ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કરશેઃ બેદરકારી બહાર આવશે તો કમિશનર સહિતનાં અધિકારીઓનો કાન આમળશે

રાજકોટ તા. ૧૮ :.. શહેરનાં નાગરીકો, લાઇટ, પાણી, ગટર, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓમાં સર્જાતી સમસ્યાઓ અંગે મયર -કમીશનરને ફરીયાદો કરતાં હોય છે ત્યારે વર્તમાન મેયર બીનાબેન આચાર્યએ સંવેદનશીલતા દાખવી અને નાગરીકોને કચેરી સુધી ફરીયાદ કરવા આવવુ ન પડે તે માટે ખુદ મેયર શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ અને નાગરીકોની ફરીયાદ સાંભળશે અને સમસ્યાનો જાત અનુભવ કરીને સમસ્યાનો સ્થળ ઉપર જ નિકાલ લાવવા ઘનિષ્ઠ પ્રયાસ કરશે એટલુ જ નહી જો કોઇ કિસ્સામાં તંત્રની બેદરકારી જણાશે. તો કમિશનર સહિતનાં અધિકારીઓને ટપારશેે. અહીં ખાસ નોંધનીય છે કે પ્રત્યેક વોર્ડમાં માત્ર ૧ દિવસ નહી સતત ૩ દિવસ સુધી મુકામ કરી અને સમસ્યાઓને જડમુળથી ઉકલી નાખવાનો આ નવતર પ્રયોગ બીનાબેન આચાર્ય સૌ પ્રથમ વખત કરી રહ્યા છે.
આ અંગે સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ સંભવત આગામી સપ્તાહથી જ મેયર પ્રત્યેક વોર્ડમાં સતત ત્રણ - ત્રણ દિવસનો મુકામ કરીને નાગરીકોનાં વિવિધ પ્રશ્નો જેવા કે સફાઇમાં અનિયમીતતા, ગંદકી, ભુગર્ભ ગટરની ગંદકી, ગેરકાયદ - દબાણો, ગેરકાયદે બાંધકામ અને રસ્તાઓનાં રીપેરીંગ, બાગ-બગીચા, કોમ્યુનીટી હોલ વગેરેની મકાન વેરો-પાણી વેરો વગેર સહિતની સમસ્યાઓ સાંભળશે. અન જે તે વિભાગનાં અધિકારીઓને આ પ્રશ્નો ઝડપી ઉકેલવા સુચનાઓ આપશે.
તેવી જ રીતે જે જે વોર્ડમાં મોટા પ્રોજેકટો જેવા કે આવાસ-યોજના નાલા-પુલીયા, નવા રસ્તા, પેવીંગ બ્લોક, કોમ્યુનીટી હોલ, વગેરેમાં બેદરકારીના કારણે કામ મોડુ થયુ હોય અથવા બંધ હાલતમાં હોય તેવા કિસ્સામાં જવાબદાર અધિકારીઓને ટપારવામાં આવશે.