-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
વિદેશથી યાત્રા કરીને પાછા ફરેલા ૫૩૦ લોકોની શોધખોળઃ WHO એ પાસપોર્ટ ઓફિસે સરનામું, મોબાઈલ નંબર માંગ્યા
૧૩ જિલ્લાના લોકો બેથી ત્રણ મહિના પહેલાં વિવિધ દેશોની યાત્રા કરીને પરત ફર્યા છે

નવી દિલ્હી,તા.૧૯: વિદેશની યાત્રા કરી પરત ફરેલા ૧૩ જિલ્લાના ૫૩૦ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે વિશ્વઙ્ગ સ્વાસ્થ્ય સંગઠને ક્ષેત્રીય પાસપોર્ટ ઓફિસ પાસેથી વિદેશથી પરત ફરેલા તમામ મુસાફરોના મોબાઈલ નંબર અને સરનામા માગ્યા છે. આ તમામ યાત્રિકો બેથી ત્રણ મહિના પહેલાં વિવિધ દેશોની યાત્રા કરીને પરત ફર્યા હતા. એવું મનાય રહ્યું છે કે આ લોકોની તબિયતની તપાસ કરાવવામાં આવશે.
કોરોના વાયરસને અટકાવવા માટે મોટા સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વિદેશથી આવનારા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. તમામને તબિયતની તપાસ કરી ભાળ મેળવવામાં આવી રહી છે કે કોઈનામાં કોરોના વાયરસના લક્ષણ તો નથી ને. આ વાતને ધ્યાનમાં રાખી વિશ્ર સ્વાસ્થ્ય સંગઠને ગાજિયાબાદ સ્થિત ક્ષેત્રિય પાસપોર્ટ ઓફિસમાંથી ૫૩૦થી વધુ લોકોના મોબાઈલ નંબર અને સરનામા માગ્યા છે. આ લોકો ગાજિયાબાદ, બાગપત, મેરઠ, શામલી, મુઝફફરનગર, સહારનપુર, હાપુડ, હાથરસ, અલીગઢ, બુલંદશહર, આગ્રા, ગૌતમબુદ્ઘનગર અને મથુરાના રહેવાસી છે. આ જિલ્લાના લોકો બેથી ત્રણ મહિના પહેલાં વિવિધ દેશોની યાત્રા કરીને પરત ફર્યા છે.