-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
એસબીઆઇના ઇકોરેપ રિપોર્ટ મુજબ
દેશમાં પેટ્રોલ ૧ર અને ડીઝલ ૧૦ રૂપિયા સસ્તુ થઇ શકે

નવી દિલ્હી તા. ૧૯ :.. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) ના ઇકોરેપ રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટ્રોલ ૧ર રૂપિયા અને ડીઝલ ૧૦ રૂપિયા સુધી સસ્તું થઇ શકે છે. આ પાછળનું કારણ કોરોના વાઇરસની મહામારી છે. કોરોના વાઇરસના કારણે ક્રુડ ઓઇલના વૈશ્વિક ભાવમાં આશરે ૩૦ ટકા સુધી ઘટાડો થયો છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો ઘટાડો થઇ શકે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર એકસાઇઝ ડયુટી ન વધારે તો જ આ શકય છે. કેન્દ્ર અને રાજય સરકાર બન્ને ફયુઅલની કિંમતમાં ઘટાડો કરવા ઇચ્છુક નહીં હોય તો લોકોને ક્રુડ ઓઇલમાં ઘટાડાનો ફાયદો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા તરીકે નહીં મળી શકે.
કોરોના વાઇરસના કારણે કોવિડ-૧૯ ની મહામારીથી વિશ્વભરનાં બજારોમાં હાહાકાર મચ્યો છે. અને શેરબજારમાં રોજ ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત ક્રુડ ઓઇલના ભાવમાં છેલ્લા થોડા દિવસોમાં ૩૦ ટકા સુધી ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ ૩૦.૮પ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. આ સ્થિતીમાં દેશમાં ક્રુડ ઓઇલના ભાવની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે.
પરંતુ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ૩ રૂપિયાની એકસાઇઝ ડયુટી વધારી દીધી છે જેના કારણે ઘટતી કિંમતનો પુરો ફાયદો ગ્રાહકોને નથી મળી રહ્યો.