-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ગુજરાતમાં સરેરાશ દરરોજ કેન્સરથી ૩, એઈડસથી ૨, ટીબીથી ૧૪ લોકોના મૃત્યુ
રાજ્યમાં બે વર્ષમાં કેન્સરના ૩૪૭૩૩, એઈડસના ૧૮૦૯૧ અને ક્ષયના ૨૨૫૨૧૨ દર્દીઓ નોંધાયા

ગાંધીનગર, તા. ૧૯ :. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેન્સર, એઈડસ અને ક્ષયના દર્દીઓ અંગે કોંગી ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે આંકડાકીય માહિતી આપી હતી.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરના ૩૪૭૩૩ દર્દીઓ નોંધાયા તેમાંથી ૨૨૫૦ મૃત્યુ પામ્યા છે. એઈડસના ૧૮૦૯૧ દર્દીઓ પૈકી ૧૫૫૭ મરણને શરણ થયા છે. ક્ષય (ટીબી)ના ૨,૨૫,૨૧૨ દર્દીઓ નોંધાયેલ જેમાંથી ૧૦૧૨૦નું મૃત્યુ થયુ છે. રાજ્યમાં કેન્સરથી દરરોજ ૩થી વધુ, એઈડસથી ૨થી વધુ અને ક્ષયથી દરરોજ ૧૪ જેટલા લોકો અંતિમ શ્વાસ ખેંચે છે.
બે વર્ષમાં રાજકોટમાં (રાજકોટ શહેર જિલ્લામાં) કેન્સરના ૧૬૫૮ દર્દીઓ પૈકી ૧૧૨ મૃત્યુ પામ્યા છે. એઈડસના ૧૦૮૫ પૈકી ૮૮ અને ક્ષયના ૬૫૩૧ પૈકી ૩૬૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં કેન્સરના સૌથી વધુ ૧૦૮૦૧ દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે. એઈડસમાં પણ અમદાવાદ મોખરે છે ત્યાં ૩૩૪૨ દર્દીઓ નોંધાયા છે. આ જ જિલ્લામાં ક્ષયના ૯૦૧૯ દર્દીઓ છે. ટીબીના દર્દીઓનું સૌથી વધુ પ્રમાણ દાહોદ જિલ્લામાં છે ત્યાં ૧૭૫૩૩ દર્દીઓ નોંધાયા છે.