-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના વાયરસની ઈફેક્ટ : અમદાવાદ - મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન 31 માર્ચ સુધી બંધ રાખવા નિર્ણંય

અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 150થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે 3 લોકોના મોત થયા છે. દેશભરમાં મોલ, શાળા, કોલેજ, સિનેમાહોલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે હવે રેલવેએ તેજસ એક્સપ્રેસ ટ્રેન સેવા પણ બંધ રાખવા નિર્ણય કર્યો છે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન સેવા 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવ્યો છે
ભારતીય રેલવે દ્વારા તેજસ ટ્રેન સેવા 19 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ અને લખનઉ-નવી દિલ્હી વચ્ચે ચાલતી આ ટ્રેન સેવા બંધ રહેશે. આ સાથે વારાસણી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી પણ 31 માર્ચ સુધી રહેશે બંધ.
દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભારતીય રેલવેએ પણ 17 માર્ચે 23 ટ્રેન સેવા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.