સાથી હાથ બઢાના
પ્રિતેશ ત્રિવેદીને આંતરડાની સારવાર માટે રૂ.સાડા ત્રણ લાખની જરૂર

રાજકોટ તા. ૨૭ : સીકયુરીટીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ બનતા રાજકોટના પ્રિતેશભાઇ કિશોરચંદ્ર ત્રિવેદી (ઉ.વ.૪૬) ને એકાદ વર્ષ પહેલા પેટના દુઃખાવાની સમસ્યા શરૂ થઇ હતી. તબીબી તપાસ કરાવતા આંતરડામાં કેન્સર હોવાનું નિદાન થયેલ. હાલમાં તેઓ ડો. જીજ્ઞેશ મેવાની સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં રૂ.૧,૫૦,૦૦૦ (દોઢ લાખ) જેટલો ખર્ચ કરી ચુકયા છે. હજુ આગળની સારવાર માટે રૂ.૩,૫૦,૦૦૦ (સાડા ત્રણ લાખ) ની જરૂર હોવાનો તબીબી અભિપ્રાય અપાયો છે. આટલો ખર્ચ કાઢવા તેમનો પરિવાર સક્ષમ નથી. સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓએ આગળ આવવા તેઓએ અપીલ કરી છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૦૧૮૦૦૩૧ ૦૦૦૦૪૭૬૦ છે. (આઇએફસી કોડ RNSB 0000001 છે) વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન કાલાવડ રોડ, ટી-પોસ્ટ સામે, સહજાનંદ વાટીકા, હરીપરના પાટીયા પહેલા, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મો.૮૪૦૧૫ ૭૬૬૦૧ અથવા તેમના મોટાભાઇ મહેશભાઇ ત્રિવેદી મો.૮૧૪૦૨ ૧૬૪૦૨ નો સંપર્ક કરી શકાય છે.