દેશમાં કોરોનાના ૯૩,૩૩૭ કેસ નોંધાયા, ૧૨૪૭નાં મોત
૨૪ કલાકમાં ૯૫૮૮૦ કોરોનાથી સ્વસ્થ્ય થયા : દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં વધારો

નવી દિલ્હી, તા. ૨૦ : ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૯૩૩૩૭ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૫૩૦૮૦૧૪ સુધી પહોંચી ગઈ છે. ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૨૪૭ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૮૫૬૧૯ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૭૯.૨૮ ટકા સુધી પહોંચ્યો છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૫૮૮૦ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૨૦૮૪૩૧ સુધી પહોંચી ગયો છે. શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો પ્રથમ વખત દસ લાખને ઓળંગીને ૧૦૧૩૯૬૪ સુધી પહોંચ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૯૦૪૯૧૦૯૬ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૯૫૧૭૪૦ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૦૭૭૬૯૭૫ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૬૭૬૨૩૮૧ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.