ટ્રેનમાં મુસાફરીમાં શું ટોઇલેટ ગંદુ લાગે છે? :15 મિનિટમાં સાફ કરાવી શકો છો: કરો ફરિયાદ:સમસ્યાનું થશે નિરાકરણ

નવી દિલ્હી ;તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને તમને ટોઇલેટ ગંદુ લાગે છે, તો ચિંતા કરશો નહીં. તમે ટ્રેનના ટોયલેટને 15 મિનિટમાં સાફ કરાવી શકો છો. એટલું જ નહીં, માત્ર શૌચાલય જ નહીં, તમે કોઈપણ પ્રકારની મદદ માટે અહીં ફરિયાદ કરી શકો છો. જો તમને તમારી મુસાફરી દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો અને 15 મિનિટમાં તેનું સમાધાન મેળવી શકો છો.
આ માટે તમારે ફક્ત તમારા ફોનમાં Rail Madad એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર મળશે. એપ ખોલ્યા બાદ ફરિયાદ વિભાગના વિકલ્પ પર ક્લિક કરો.
અહીં તમે જે પણ કેટેગરી વિશે ફરિયાદ કરવા માંગો છો તે પસંદ કરી શકો છો. અહીં તમારી પાસે ઘણા વિકલ્પો હશે, કોચ સ્વચ્છતાનો વિકલ્પ પસંદ કરો.
આની નીચેની સબ કેટેગરીમાં પણ સિલેક્ટ કરો. સબ કેટેગરીમાં શૌચાલય પસંદ કરો. આ પછી સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો. વિનંતી કરેલી માહિતી જેમ કે ડેટ ફાઇલ વગેરે ભરો.
આ પછી તમારી ફરિયાદ સબમિટ કરો. રજૂઆત કર્યા પછી 10 થી 15 મિનિટમાં કોઈ આવશે અને શૌચાલય સાફ કરીને નીકળી જશે.
આ સિવાય જો તમને યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.
જેમાં મેડિકલ સિક્યોરિટી, સ્ટાફનું બિહેવિયર, કેટરિંગ, પાણી વગેરે જેવી તમામ સમસ્યાઓની ફરિયાદ કરી શકાશે. તમારે ફક્ત તમારી જેવી સમસ્યા હોય તેવી કેટેગરી પસંદ કરવી પડશે.
આ સિવાય જો તમારી પાસે કોઈ મેડિકલ ઈમરજન્સી અથવા કોઈ સુરક્ષા સંબંધિત મામલા હોય તો તમે ફોન કરીને ફરિયાદ પણ કરી શકો છો. આ માટે તમારે ફક્ત 139 પર કોલ કરવાનો રહેશે.