કોંગ્રેસ બંને બેઠકો મેળવશે !! સોલંકી
એક જ બેઠક કોંગ્રેસ લડશે તેવી અટકળો વચ્ચે ભરતસિંહની આગમવાણી

અમદાવાદ તા. ૧૬ : રાજયસભાની ચૂંટણીની કોંગ્રેસની રણનીતિ પર હવે પાણી ફરી ગયું છે.કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા છે ભરતસિંહનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાય તેવી અટકળો વચ્ચે કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશે તેવો ભરતસિંહે દાવો કર્યો હતો જે ઘણો સૂચક મનાય છે.
એક ચર્ચા મુજબ ભરતસિંહ સોલંકી ઉમેદવારી પાછી ખેંચવાના મૂડમાં નથી,ભરતસિંહ સોલંકીની તરફેણમાં મોટાભાગના ધારાસભ્યો હોય ભરતસિંહ સોલંકી રાજયસભાની ચૂંટણી લડવા ઇચ્છુક છે.
એક સમયેઙ્ગ ભરતસિંહ બેઠકમાંથી બહાર નીકળ્યા ત્યારે કંઈ નવાજૂની થવાની અટકળો ચાલી હતી.ઙ્ગ પરંતુ તેઓ થોડી જ મિનિટોમાં બેઠકમાં પરત ફર્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના બંને ઉમેદવાર ભરતસિંહ અને શકિતસિંહ સહિત, શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા છે.
આ બેઠકમાં કોંગ્રેસના બંને ઉમેદવાર ભરતસિંહ અને શકિતસિંહ સહિત, શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા છે. આ સ્થિતીમાં સિદ્ઘાર્થ પટેલના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં પ્રભારી રાજીવ સાતવ હવે શું નિર્ણય લે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહ્યું છે. ભરતસિંહે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.