News of Monday, 16th March 2020
અમદાવાદમાં AMTS બસોની પણ પુરતી સફાઈ
બીઆરટીએસ બસમાં પણ સાફસફાઈ

અમદાવાદ, તા. ૧૫ : કોરોનાથી બચવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ વિવિધ પગલા લીધા છે. ઇન્ફેક્શનથી બચવા માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરની પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસની બસમાં પણ પુરતા પ્રમાણમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઇન્ફેક્શનવાળી જગ્યાને ઇન્ફેક્શન મુક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, આ સંબંધમાં વધુ જરૂરી પગલા પણ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો એએમટીએસ અને બીઆરટીએસ બસમાં યાત્રા કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઇને બસની જરૂરી સાફસફાઈ કરવામાં આવી રહી છે.
(9:26 pm IST)