કરણ જોહરે ૪ મહિનામાં ૩ વખત શા માટે બદલાવ્યો મોબાઇલ-નંબર?
અગાઉ ૧૦ વર્ષ સુધી એક જ નંબર વાપરતા ડિરેક્ટર-પ્રોડ્યુસરે ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતના ડેથ પછી ત્રીજી વખત ફોન-નંબર બદલાવ્યો

મુંબઇ,તા.૨૧:અનેક સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા બોલીવુડના ટોચના ત્રણ ડિરેક્ટર-પ્રોડ્યુસરમાંના એક કરણ જોહરે ફરી પાછો પોતાનો મોબાઇલ-નંબર બદલાવ્યો છે. સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી સોશ્યલ મીડિયા પર કરણ જોહરને ટ્રોલ કરતાં તેણે પહેલી વખત નંબર બદલાવ્યો અને એ પછી બે વખત નંબર ચેન્જ કર્યા. અગાઉ કરણ જોહર લગભગ ૧૦ વર્ષથી એક જ નંબર વાપરતો હતો, પણ ૧૪ જૂન પછી ડિરેક્ટર-પ્રોડ્યુસરે ત્રણ વખત મોબાઇલ-નંબર બદલાવી નાખ્યા છે. આ વખતે નંબર બદલવાનું કારણ નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો જવાબદાર છે.
કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવાતું હોય એવા વાઇરલ થયેલા વિડિયોની ઇન્ક્વાયરી શરૂ થતાં કરણ જોહરે મોબાઇલ-નંબર બદલાવી નાખ્યો હતો, એટલું જ નહીં, તે છેલ્લા ૪ દિવસથી મુંબઈ છોડીને પણ ચાલ્યો ગયો છે. કરણે પોતાની ઓફિસમાં અને પર્સનલ સ્ટાફને નવો નંબર કોઈને પણ આપવાની સ્ટ્રિક્ટલી મનાઈ કરી દીધી છે અને ઓફિસમાં પણ જૂજ લોકો જ એવા છે જેમની સાથે કરણે આ નંબર શેર કર્યો છે.
ગયા વર્ષે કરણના ઘરે થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેતા સ્ટાર્સની ઇન્ક્વાયરીનું કામ ઓલરેડી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોએ શરૂ કરી દીધું છે.